Rajkot Live
Breaking News
Breaking Newsઅન્યગુજરાતધોરાજીરાજકોટ

*ધોરાજી તાલુકામાં ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાથી માહિતગાર કરાયા*

Share

*વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEને જરૂરી મદદ પુરી પાડવા અનુરોધ કરતા મામલતદાર*

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન જી તાલુકાના મામલતદાર જાડેજાએ ભાડેર, મોટીમારડ, પીપળીયા, નાની મારડ તથા ભાદાજાળીયા ગામની મુલાકાત લઈને ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાની માહિતી આપી હતી તથા ૧૮ થી ૬૦ વર્ષના લોકોના પરિવારજનોને પણ ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે અનુરોધ કર્યો હતો.ગ્રામજનો ઈ-શ્રમ યોજનાની માહિતી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડે અને સરકારના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારી નોંધાવે તે બાબતે નાગરિકોને જાણકારી અપાઇ હતી.

મામલતદારએ વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEની રૂબરૂ મુલાકાત લઈને ઈ-શ્રમકાર્ડ માટે આવનાર લોકોને વેબપોર્ટલ પર જરુરી ડેટા અપલોડ કરવા માટે મદદ પુરી પાડવા જણાવ્યું હતું.

 


Share

Related posts

*સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં દાન આપનાર દાતાઓનું સન્માન*

rajkotlive

પરીક્ષાલક્ષી કોઈ પણ મુંઝવણ કે સમસ્યા,, આ રહ્યા 10 નંબર, કોલ કરો અને સમાધાન મેળવો

rajkotlive

*૨૬ થી ૩૦ જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની સંભાવનામાં સાવચેતી રાખવા સૂચના*

rajkotlive

Leave a Comment

error: Content is protected !!