Rajkot Live
Breaking News
Breaking Newsઅન્યઆધ્યાત્મિકગુજરાતજીવનશૈલીદુનિયાબિઝનેસભારતમનોરંજનરમતગમતરાજકોટવાયરલ

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત પેઇન્ટિંગ સ્પર્ધા: અમદાવાદ સહિતની 18 શાળાઓના 100 બાળકોએ ભાગ લીધો, વિજેતાને એક્ઝામ વોરિયર્સ પુસ્તક એનાયત

Share

અમદાવાદ29 મિનિટ પહેલા

કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે. ખાસ કરીને જે બાળકો બોર્ડની પરિક્ષા આપવાના હોય છે, તેવા બાળકો તણાવ મુક્ત રહે તે માટે તેમની સાથે વાત કરે છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચામાં દેશભરમાંથી 50 હજાર બાળકો ભાગ લેવાના છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્કૂલના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક એકઝામ વોરિયરનું વિતરણ કરવામાં આવશે.

વાલીઓ માટે લખાયેલ છ સૂચનો ખૂબ જ લોકપ્રિયપુસ્તકમાં એકઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક એકઝામ વોરિયર્સમાં વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત પરીક્ષા રહે તે માટે વાલીઓ માટે લખાયેલ છ સૂચનો ખૂબ જ લોકપ્રિય થયા છે. પરીક્ષા પે ચર્ચા અંતર્ગત રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે.

5 વિજેતા બાળકોને સર્ટિફિકેટ એનાયતઆજે શહેરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ તેમજ અમદાવાદ બહારની એમ કુલ મળીને 18 શાળાઓના 100 બાળકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં પાંચ વિજેતા બાળકોને સર્ટિફિકેટ અને એક્ઝામ વોરિયર્સ પુસ્તક આપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…


Share

Related posts

Jagmag Lights invested in Sculpture: A New Breakthrough in India’s Decorative Lighting Industry

cradmin

કલેકટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ..

rajkotlive

પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘’પી.એમ. વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના’’ અંગે પોસ્ટ બજેટ વેબિનાર યોજાયો

rajkotlive

Leave a Comment

error: Content is protected !!